અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વર્ષ 2026-27 ની મૅનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી જાહેર થઇ છે. આ સાથે એસ્ટેટ એક મહિના માટે ચૂંટણીના રંગે રંગાશે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વર્ષ 2026-27 ની મૅનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી 30 મી જૂને યોજાવાની છે.આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જૂન છે. મૅનેજિંગ કમિટીના 10 સભ્યો માટેની ચૂંટણી યોજાવાની છે. જેમાં 8 સભ્યો જનરલ કેટેગરીના અને 1 સભ્ય રિઝર્વ કેટેગરી અને 1 સભ્ય કોર્પોરેટ કેટેગરીનો હશે.
જે સભ્યોની મુદત પૂર્ણ થાય છે તેમાં જનરલ કેટેગરીના 1) હસમુખ દુધાત 2) અમુલખ પટેલ 3) હેતલ પટેલ 4) હિંમત શેલડીયા 5) જતીન ગાંધી 6) પીતામ્બર પટેલ 7) વાલમજી દેસાઈ અને હસમુખ પટેલ છે. જયારે રિઝર્વ કેટેગરીમાં પી.એમ. ચૌહાણ નો સમાવેશ થાય છે. જયારે કોર્પોરેટ કેટેગરીની શીટ ખાલી થઇ હતી.