દહેજ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી (દહેજ ઈકાઈ) દ્વારા ડીઆઈએ ભવન ખાતે તા. ૧૦ એપ્રિલે વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો. સામાજિક કાર્યકરો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય પૂર્વ પ્રમુખ તથા ગુજરાત-રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ અને લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. સુનિલ ભટ્ટ (પ્રમુખ, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન), ધનજીભાઈ પરમાર (મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ), બલદેવભાઈ આહીર (મહામંત્રી, દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા પૂર્વ પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી – દહેજ), રમેશભાઈ ચોડવડીયા (પ્રમુખ, ભરૂચ જિલ્લા લઘુ ઉધ્યોગ ભરતી) વિશિતભાઈ પટેલ (ભરૂચ જિલ્લા LUB મહામંત્રી), હેમંત ગોહિલ તેમજ મહેન્દ્રસિંહ રાણા (LUB દહેજ ઈકાઈ પ્રમુખ અને દીપક પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બલદેવભાઈ આહીરે દહેજ એસ્ટેટમાં ચાલી રહેલા ઇન્ફાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અંગે માહિતી આપી હતી.
દહેજ લઘુઉદ્યોગ ભારતી ઈકાઈ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો
ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના વિકાસ અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરાયા