Search
અંકલેશ્વર એસ્ટેટમાં તળાવ કિનારે (કૈલાસધામ) સ્મશાન માટે ફાળવાયેલ જગ્યામાં જમીન સમથળ (લેવલીંગ) નું કામ શરુ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નોટીફાઈડ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસોથી જમીન લેવલીંગનું કામ શરુ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું આયોજન છે. બહુ જલદી સ્મશાન આધુનિક સુવિધાઓવાળું (કૈલાસધામ) સ્મશાન બનાવવાની કામગીરી પણ આરંભવામાં આવશે. સ્મશાન માટે જીઆઇડીસી તરફથી 1000 ચોરસમીટર જગ્યા ફાળવવામાં આવી છે. તેની આસપાસની જગ્યા જીઆઇડીસીની છે. તેને જીઆઇડીસી વિકસાવાશે તેવી અપેક્ષા છે.