Home / News / News-1071

રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનમાં પધારવા આમંત્રણ આપવા નરેશ પટેલ અંકલેશ્વર ખાતે આગમન


Views: 146
  • Jan 01, 2024
  • Updated 07:11:59am IST
રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના લાભાર્થે  નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનમાં પધારવા આમંત્રણ આપવા નરેશ પટેલ અંકલેશ્વર ખાતે આગમન
    અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ, સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ૨૧ જાન્યુઆરીના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજ ના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના થનારા ભુમી પૂજન માં પધારવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા. આ પ્રસંગે ખોડલધામ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
     શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજ ના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ના નરેશ પટેલ વિવિધ સ્થળે પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે નરેશ પટેલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનર અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓના વધામણાં કરવા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ  કુંવારિકાઓ માથે કાળાશ સાથે તેમને આવકારી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની 9 તાલુકા સમિતિઓએ સન્માનિત કરી ખોડલધામ મંદિરની પ્રતિકૃતિ રૂપે ભેટ આપી હતી.
     આ પ્રસંગે  નરેશભાઈ પટેલ પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજ માટે ની કેન્સર હોસ્પિટલ અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. તેને ઉપસ્થિત સૌ લોકો ઉમળકાભેર વધાવી લીધી હતી. આ કેન્સર હોસ્પિટલ સર્વ સમાજ માટે વરદાનરૂપ સાબિત થશે આ પ્રસંગે અંકલેશ્વર ભરૂચ સહિત તાલુકાના લેઉઆ પાટીદાર સમાજના આગેવાનો અને ખોડલધામ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
     રાજકોટ નજીક અમરેલી ખાતે 47 એકર  વિસ્તારમાં આકાર પામનાર સર્વે સમાજ માટેની કેન્સર હોસ્પિટલ આશરે 1000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. જેમાં તમામ આધુનિક સુવિધાથી સજ્જ હશે.  દેશમાં કેન્સર માટે મોટું કામ કર્યું હોઈ તો ટાટા સંસ્થાએ કર્યું છે.તેને ખોડલધામ સાથે કેન્સર હોસ્પિટલ માટે જોડાવાનું કહ્યું છે. સાથે મળીને વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના લાભાર્થે  નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનમાં પધારવા આમંત્રણ આપવા નરેશ પટેલ અંકલેશ્વર ખાતે આગમન
    સંસ્થાના આગામી પ્રકલ્પોમાં સંડેર ખાતે ખોડલધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવન તેમજ અમદાવાદ ખાતે પણ કાર્ય પ્રગતિમાં છે. બંગ્લોર ખાતે પણ યુવાનો શ્રી ખોડલધામ નિર્માણ કરવા તૈયાર થયા છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity